અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના(Antyodaya Shramik Suraksha Yojana) થકી રૂ.499માં 10 લાખનો વીમો
ગુજરાત સરકાર દ્વારા કામદારો માટે અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. મજૂરોના સશક્તિકરણમાં સહભાગી બનવા માટે સરકાર આવી યોજના ચલાવે છે. આવી જ રીતે શ્રમિકોના કલ્યાણ અને સલામતીને પ્રાધાન્ય આપવા માટે, ગુજરાત સરકારે કામદારો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના (Antyodaya Shramik Suraksha Yojana) શરૂ કરવામાં આવી છે.
આ યોજનામાં શું લાભ મળશે.તેનો લાભ કેવી રીતે લઈ શકશો.તે અંગે અમે આ લેખમાં તમને વિગતવાર જણાવીશું.
આ તમને પણ ગમશે.
આ પણ વાંચો :
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના (Antyodaya Shramik Suraksha Yojana)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના થકી રાજ્યના કામદારોને મૃત્યુ અથવા આંશિક વિકલાંગતાના કિસ્સામાં નાણાકીય રક્ષણ પૂરું પાડવામાં આવશે. જેથી કરીને તેમને આકસ્મિકની પરીસ્થિતિમાં આર્થિક સુરક્ષા મળી શકે. કામદારોના યોગદાન,શ્રમ,મહેનત અને સમર્પણને ધ્યાનમાં રાખીને, અસંગઠિત ક્ષેત્રના કામદારોને સુરક્ષા કવચ આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમને વીમા કવચ આપવામાં આવશે.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના(Antyodaya Shramik Suraksha Yojana) યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.આ યોજનામાં સહભાગી તરીકે પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને શ્રમ અને રોજગાર મંત્રાલયના જોડાયેલ છે.
ઇ-શ્રમ પોર્ટલ
આ પોર્ટલ પર નોંધણી કરેલા કામદારોને આ યોજનામાં લાભ લેવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના થકી લગભગ 1 લાખ ગરીબ પરિવારો 60 દિવસમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ કવશ પ્રાપ્ત કરશે.
યોજના : અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના (Antyodaya Shramik Suraksha Yojana)
સંબંધિત વિભાગો : પોસ્ટ્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને શ્રમ અને રોજગાર મંત્રાલય
લાભાર્થી : ગુજરાત રાજ્યના કામદારો
હેતુ : અકસ્માતના કિસ્સામાં કામદારોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવી
અરજી પ્રક્રિયા : ઓફલાઇન
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો ઉદ્દેશ્ય
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ યોજના શરૂ કરેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના શ્રમ યોગીઓના કલ્યાણ અને સલામતીને પ્રાધાન્ય આપવાનો છે. જેથી તેઓને અકસ્માતની સ્થિતિમાં આર્થિક સહાય મળી શકે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા શ્રમિકોને અકસ્માતના કિસ્સામાં તેમને યોગ્ય સારવાર મળી શકતી નથી.જેના કારણે ક્યારેક મોતને ભેટે છે.જેથી કામદારોને સુરક્ષા કવચ આપવા માટે વીમા કવચનો લાભ આપવામાં આવશે. શ્રમિકો અને તેમના પરિવારજનોને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા વિના અકસ્માતના સમયે આર્થિક રીતે સમસ્યાનો સામનો કરવો ન પડે.
આ યોજનાની મુખ્ય વિશેષતાઓ
- અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં માત્ર 499 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરીને 10 લાખ રૂપિયાના વીમાનો લાભ મળશે.
- 289 રૂપિયામાં 5 લાખ રૂપિયાના વીમા લાભ મળશે.
- જેથી તમામ ક્ષેત્રના કામદારો સરળતાથી લાભ લઈ શકશે.
વ્યાપક કવરેજ
આ યોજના દ્વારા કામદારોને વ્યાપક કવરેજ મળશે. જેમાં 5 લાખથી 10 લાખનો અકસ્માત વીમો સમાવી લેવામાં આવ્યો છે.કામદારોની ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવા માટે અપંગતા લાભો, હોસ્પિટલમાં દાખલ થવાના લાભો વગેરે પ્રદાન કરવામાં આવશે.
નજીકની પોસ્ટમાં નોંધણી
શ્રમિકો તેમની નજીકની પોસ્ટ ઓફિસ,પોસ્ટમેન,ગ્રામીણ ડાક સેવક દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં લાભ લેવા માટે સરળતાથી અરજી કરી શકે છે.
સમગ્ર ભારતમાં કવરેજ
સફળ પાયલોટ પ્રોજેક્ટ લોંચ થયા પછી સમગ્ર ભારતમાં 28 કરોડથી વધુ કામદારોને સમાવી લેવા માટે આ યોજના શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રવ્યાપી કવરેજ એ સુનિશ્ચિત કરશે કે દરેક કામદારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના લાભ લઈ શકે.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ મળવાપાત્ર લાભો
કેન્દ્ર સરકારની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે.
યોજના લાભ લેવા માટેની લાયકાત
- અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં લાભો મેળવવા માટે અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ.
- આ યોજના માટે માત્ર રાજ્યના કામદારો જ પાત્ર બનશે.
- મજૂર પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે.
- કામદારનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના માટેનાં ડોકયુમેંટ લીસ્ટ
- આધાર કાર્ડ
- ઈ-શ્રમિક કાર્ડ
- ઓળખપત્ર
- સરનામાનો પુરાવો
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
આ પણ વાંચો
- મફત પ્લોટ યોજના ગુજરાત 2023: મફત પ્લોટ યોજના ફોર્મ, ઓનલાઈન અરજી કરો અહીં સંપૂર્ણ વિગતો મેળવો
- Post Office Saving Scheme: પોસ્ટ ઓફિસની 5 સ્કીમમાં કરો રોકાણ, દિવસ-રાત વધશે રૂપિયા
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના( Antyodaya Shramik Suraksha Yojana)ની અરજી કેવી રીતે કરવી?
તમે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે વીમા કવચ મેળવવા માટે અરજી કરવી પડશે.
- સૌપ્રથમ તમારી નજીકની પોસ્ટ ઓફિસ,ગ્રામીણ ડાક સેવકની ઓફિસમાં જવું પડશે.
- ત્યાં જઈને તમારે અંત્યોદય સુરક્ષા યોજનાનું અરજીપત્રક મેળવવાનું રહેશે.
- અરજીપત્રક પ્રાપ્ત કર્યા પછી, તમારે માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક દાખલ કરવી પડશે.
- બધી માહિતી દાખલ કર્યા પછી, તમારે ફોર્મમાં માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.
- આ પછી, તમારે આ અરજી ફોર્મ નજીકની પોસ્ટ ઓફિસ, ગ્રામીણ ડાક સેવકની ઓફિસમાં જમા કરવાની રહેશે.
- ફોર્મ સબમિટ કર્યા પછી અધિકારીઓ દ્વારા તમારા અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
- એકવાર અરજી ફોર્મની ચકાસણી થઈ જાય પછી તમને યોજનાના લાભો આપવામાં આવશે.
- આવી રીતે તમે આ યોજનામાં સફળતાપૂર્વક અરજી કરી શકો છો.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના( Antyodaya Shramik Suraksha Yojana) ની માહિતી
- આ યોજના કામદારોને સુરક્ષા આપવા માટે ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી છે.
- આ યોજના રાજ્યના કામદારોને અકસ્માત વીમો આપવા માટે રૂ. 10 લાખની નાણાકીય સહાય
- આ યોજના હેઠળ રૂ. 289 ના વાર્ષિક પ્રીમિયમ દરે રૂ. 5 લાખનું વીમા કવર અને રૂ. 499 માટે રૂ. 10 લાખનું કવશ મળવાપાત્ર
- આ યોજના માત્ર ઑફલાઇન પ્રક્રિયા દ્વારા જ અરજીઓ સ્વીકારવામાં આવશે.
- અકસ્માતમાં મજૂરનું મૃત્યુ થાય તો તેના પરિવારને ગુજરાત સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
- અકસ્માતને કારણે કાયમી અપંગતાના કિસ્સામાં, સરકાર દ્વારા કામદારોને 10 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે.
- કામદારોના મૃત્યુના કિસ્સામાં તેમના બાળકોને શિક્ષણ સહાય આપવા માટે 1 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે.
- આ યોજના સુરક્ષિત સમાજના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.
- આ યોજનાથી મજૂરોના પરિવારોને અકસ્માતના કિસ્સામાં આર્થિક સ્થિતિનો સામનો કરવો નહીં પડે.