Post Office Saving Scheme: પોસ્ટ ઓફિસની 5 સ્કીમમાં કરો રોકાણ, દિવસ-રાત વધશે રૂપિયા
Post Office Saving Scheme: પૈસાની બચત કરવી આજના જમાનામાં જરૂરી છે.અને બચત કરેલા પૈસાનું રોકાણ કરવામાં પણ વધારો થઈ રહ્યો છે.બચતની સાથે રોકાણ કરવાથી મૂડીમાં પણ વધારો થાય છે.લોકો પોતાના પૈસા કોઈને કોઈ જગ્યાએ રોકાણ કરતાં હોય છે,જેમ કે શેર માર્કેટ,FD,SIP, બોન્ડ, સેવીંગ એકાઉન્ટ વગેરેમાં રોકાણ કરતાં હોય છે.
આજે તમને અમે તમારા પૈસા સુરક્ષિત હોય અને વળતર પણ સારું મળે.તેવી રોકાણ સ્કીમ વિશે જણાવીશું.જેમાં તમામ યોજનાઓ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.વ્યાજ દર પણ સરકાર નક્કી કરે છે.અમે તમને પોસ્ટ ઓફિસની રોકાણ કરવા માટેની 5 સ્કીમ વિશે માહિતી આપીશું.
લોકો પોસ્ટ ઓફિસની સ્કીમમાં પૈસા રોકવાને સૌથી સુરક્ષિત માને છે.પોસ્ટ ઓફિસ યોજનાઓમાં 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર 80C હેઠળ છૂટ મેળવી શકાય છે.
- રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)
તમે એનએસસી સ્કીમમાં મિનિમમ રૂપિયા 1,000 અને ત્યારબાદ રૂપિયા 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. કોઈ હાઇ લિમિટ નથી. NSC યોજનાની પરિપક્વતા 5 વર્ષની છે. આના પર 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. આને 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
- વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)
જો તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, તો તમે પોસ્ટ ઓફિસમાં વરિષ્ઠ નાગરિક બચત ખાતું ખોલાવી શકો છો. તેના પર વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. SCSSનો પરિપક્વતા સમયગાળો 5 વર્ષનો છે. તમે આમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
- સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
તમે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામે એકાઉન્ટ ખોલાવીને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો બેનિફિટ મેળવી શકો છો. જ્યારે છોકરી 18 વર્ષની થાય અથવા પુખ્ત બને ત્યારે તે ખાતાની માલિક બને છે. સુકન્યા સમૃદ્ધિ ખાતા પર વર્તમાન વ્યાજ દર 8 ટકા છે. નાણાકીય વર્ષમાં આ ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિની શ્રેણી હેઠળ આવે છે.
- પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝીટ
તમે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં પણ રોકાણ કરી શકો છો. તમે આમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. 5 વર્ષની ડિપોઝિટ પર 80C હેઠળ કર મુક્તિ ઉપલબ્ધ છે. તમને 5 વર્ષની ડિપોઝીટ પર 7.50% વ્યાજ મળશે.
- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતું લાંબા ગાળાની યોજના છે. પીપીએફમાં પાકતી મુદત 15 વર્ષ છે. આને 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આમાં તમે એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. PPF પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળે છે.
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સુરક્ષિત હોય છે અને સારું વળતર પણ પ્રાપ્ત થાય છે.ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પોસ્ટ ગમે તો જરૂર સોશિયલ મીડિયામાં શેયર કરજો.