Pension Scheme For Farmers: કેન્દ્ર સરકાર દર મહિને 3000નું પેન્શન આપશે, પેન્શન મેળવવા માટે આ પ્રક્રિયાને અનુસરો
Pension Scheme : સરકાર દ્રારા ખેડૂતોના લાભ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારની તેમાની એક યોજના છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજનામાં ખેડૂતોને માસિક રૂ.3 હજારનું પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
Pension Scheme For Farmers : કેન્દ્રની સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. પીએમ કિસાન સન્માન નિધિ એ કેન્દ્રની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. યોજના હેઠળ, પીએમ મોદીએ 27 જુલાઈએ DBT દ્વારા 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજના સાથે દર મહિને 3000 રૂપિયાની ભેટ પણ મળશે. આ પૈસા પણ ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે. દર મહિને ખાતામાં 3000 રૂપિયા જમા થશે.
PM કિસાન યોજનાની સાથે સાથે કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે. યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂ.3 હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે. યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે.
- યોજના વિષે ટુંકી માહિતી
- આ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ રૂ. 55 થી રૂ. 200 સુધી ફાળો આપવો જરૂરી છે.
- આ યોજના હેઠળ, જ્યારે નોંધણી કરાવનાર વ્યક્તિની ઉંમર 60 વર્ષ છે, તો દર મહિને ખાતામાં 3000 રૂપિયાનું પેન્શન આવવાનું શરૂ થશે.
- 18 વર્ષથી 40 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે.
- આ યોજનાનો લાભ દેશના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.
- યોજનામાં ખેડૂતોને વર્ષમાં 36 હજાર રૂપિયા આપવામાં આવે છે.
- 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે.
- જો તમારે પેન્શન મેળવવું હોય તો પ્રીમિયમ ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવશે.